વચનામૃત

૧૯. ભગવાનની ઉપાસનાનું ખંડન થાય તેવા શાસ્ત્રના વાચન-શ્રવણનો નિષેધ - ધર્મ તથા ભક્તિમાંથી પડી ન જવાય તે હેતુથી હરિભક્તો પર લખાવેલ પત્ર.

0:000:00

સંવત 1878ના માગશર વદિ 14 ચૌદશને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પરમહંસને ઉતારે દિવસ ઊગ્યા સમે પધાર્યા હતા. પછી ત્યાં આવીને ગાદી-તકિયા ઉપર ઉદાસ થઈને બેઠા, તે કોઈને બોલાવે પણ નહિ, અને કોઈના સામું પણ જુએ નહિ. અને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો તે છૂટીને શિથળ થઈ ગયો તેને પણ સંભારે નહિ, એવી રીતે એક ઘડી સુધી અતિશે ઉદાસ થઈને બેસી રહ્યા અને નેત્રમાંથી જળ પડવા લાગ્યાં.

પછી શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે,


ઇતિ વચનામૃતમ્ || 19 || (152)


રહસ્યાર્થ પ્રદી. -- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે વેદાંત શાસ્ત્રના શ્રવણથી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે ને પોતાને ભગવાન મનાય છે ને અમારી ઉપાસનાનું ખંડન થઈ જાય છે, માટે તેનું શ્રવણ ન કરવું. (1) અને અમારા એકાંતિક ભક્તને દર્શન દેવા ને તેમની રક્ષા કરવા ને અધર્મનો નાશ કરવા મનુષ્યરૂપે થયા છીએ, એવી અમારે વિષે નિષ્ઠા રાખીને માનસીપૂજા તથા ભક્તિ કરવી અને જ્યારે અમે આ મનુષ્ય સ્વરૂપ અદૃશ્ય કરીએ ત્યારે અમારી પ્રતિમાની પૂજા, ભક્તિ, ઉપાસના તથા ધ્યાન કરવું, પણ બીજા કોઈ દેવનું ધ્યાન કરવું નહિ ને સાધને કરીને સિદ્ધ ગતિને પામ્યા હોય એવા સાધુનું પણ ધ્યાન કરવું નહિ, તો અમારે વિષે દૃઢ ભક્તિ થશે અને આ અમારા વચનથી બીજી રીતે વર્તશે તેની ભક્તિ વેશ્યાના જેવી થશે. (2) બાબતો છે.