સંવત 1876ના ફાગણ વદિ અમાસને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને કાળા છેડાનો ખેસ પહેર્યો હતો, ને ધોળી પછેડી ઓઢી હતી, ને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,
ઇતિ વચનામૃતમ્ || 66 ||
રહસ્યાર્થ પ્રદી. -- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, ભાગવતમાં નિર્ગુણ કરીને કહ્યા હોય, ત્યારે શ્રીકૃષ્ણ ભગવાનને કહ્યા હોય અને સગુણ કરીને કહ્યા હોય ત્યારે અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન ને સંકર્ષણને કહ્યા હોય એમ જાણવું. પણ તેજપુંજ કહ્યા હોય ત્યારે તે તેજ સૂર્ય અને અગ્નિના પ્રકાશની પેઠે મૂર્તિનું સમજવું, તેમ જ બ્રહ્મસત્તારૂપ એટલે અક્ષરબ્રહ્મરૂપ પ્રકાશ છે, તે અમારી મૂર્તિનો છે અને અમે સદા દિવ્યમૂર્તિ ને અનંત કલ્યાણકારી ગુણે યુક્ત છીએ. (1) અને એકાંતિક સંત અમને દિવ્ય સાકાર, અક્ષરાતીત અનંતકોટી મુક્તના તથા અક્ષરધામના આત્મા જાણે છે અને અમે સદા સાકાર ને સર્વેના કારણ ને સર્વેના અવતારી છીએ. (2) બાબતો છે.
પ્ર.૧ પહેલી બાબતમાં ભૂમાપુરુષ પાસે જતાં માયાનો અંધકાર આવ્યો તે કિયો જાણવો?
ઉ.૧ આ પૃથ્વીના ગોળાની અંદર 48 અડતાળીશ કરોડ યોજન અવકાશ છે તે અવકાશમાં સાત દ્વીપ ને સાત સમુદ્ર છે, તેના ફરતો લોકાલોક છે ને તે લોકાલોકને ફરતું અંધકાર છે તે અંધકારના ફરતું આ પૃથ્વીના ગોળાનું દળ એક કરોડ યોજન જાડું છે તે દળની ને અંધકારની વચમાં ભૂમાપુરુષ પોતાના સાધનિક પાર્ષદોએ સહિત રહે છે તે અંધકાર આ ઠેકાણે કહ્યો છે.
પ્ર.૨ ઉપર કહ્યું તે સિવાય ભૂમાપુરુષને રહેવાનું બીજું ધામ હશે કે કેમ?
ઉ.૨ જેને પ્રધાનપુરુષ કહે છે તે જ પોતે ભૂમાપુરુષ છે અને પૃથ્વીના દળના ફરતાં જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર ને મહત્તત્વ તેમના આવરણથી પર પ્રધાનપુરુષનું આવરણ છે તે જ ભૂમાપુરુષનું ધામ છે, ત્યાં રહ્યા થકા પ્રથમ કહ્યું જે અવ્યાકૃત ધામ તેને વિષે દર્શન આપે છે.
પ્ર.૩ રથ ને ઘોડા દિવ્ય ચૈતન્ય થયા તે કેવા જાણવા? અને માયા પર બ્રહ્મ શું જાણવું? અને માયા કઈ જાણવી?
ઉ.૩ એ રથ-ઘોડાને વિષે શ્રીકૃષ્ણ ભગવાને પોતાનું ઐશ્વર્ય મૂક્યું હતું તેને લઈને ચૈતન્ય ને દિવ્ય કહ્યા છે અને આ ર્મત્યલોકને વિષે લોકાલોકના ફરતું જે અંધકાર છે તે અંધકારને જ માયા કહી છે તે અંધકારરૂપ માયાથી પર ગયા એમ કહ્યું છે પણ માયાના આઠમા આવરણથી પર ગયા એમ નથી કહ્યું. અને જેમ આ પૃથ્વીમાં લોકાલોકના ફરતા અંધકારને માયાનો અંધકાર કહ્યો, તેમ જ ભૂમાપુરુષના તેજને બ્રહ્મ કહ્યું છે તે ભૂમાપુરુષ માયા સબળિત બ્રહ્મ છે, માટે તેનું તેજ તે પણ માયા સબળિત બ્રહ્મ છે પણ માયાથી પર જે બ્રહ્મ છે તે ન જાણવું.
Suggest a correction
Help improve this text. Our editors review every suggestion.