વચનામૃત

૬૬. ભગવાનનું સગુણ-નિર્ગુણપણું જાણવાની રીત.

0:000:00

સંવત 1876ના ફાગણ વદિ અમાસને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને કાળા છેડાનો ખેસ પહેર્યો હતો, ને ધોળી પછેડી ઓઢી હતી, ને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,


ઇતિ વચનામૃતમ્ || 66 ||


રહસ્યાર્થ પ્રદી. -- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, ભાગવતમાં નિર્ગુણ કરીને કહ્યા હોય, ત્યારે શ્રીકૃષ્ણ ભગવાનને કહ્યા હોય અને સગુણ કરીને કહ્યા હોય ત્યારે અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન ને સંકર્ષણને કહ્યા હોય એમ જાણવું. પણ તેજપુંજ કહ્યા હોય ત્યારે તે તેજ સૂર્ય અને અગ્નિના પ્રકાશની પેઠે મૂર્તિનું સમજવું, તેમ જ બ્રહ્મસત્તારૂપ એટલે અક્ષરબ્રહ્મરૂપ પ્રકાશ છે, તે અમારી મૂર્તિનો છે અને અમે સદા દિવ્યમૂર્તિ ને અનંત કલ્યાણકારી ગુણે યુક્ત છીએ. (1) અને એકાંતિક સંત અમને દિવ્ય સાકાર, અક્ષરાતીત અનંતકોટી મુક્તના તથા અક્ષરધામના આત્મા જાણે છે અને અમે સદા સાકાર ને સર્વેના કારણ ને સર્વેના અવતારી છીએ. (2) બાબતો છે.