સંવત 1878ના જ્યેષ્ઠ સુદિ 11 એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ વિરાજમાન હતા, ને મસ્તક ઉપર ધોળી પાઘ બાંધી હતી, ને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળી ચાદર ઓઢી હતી, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,
ઇતિ વચનામૃતમ્ || 23 || (156)
રહસ્યાર્થ પ્રદી. -- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં જેનું મન દુઃખદાયી વિષયમાં તપે નહિ અને સુખદાયી વિષયમાં ટાઢું ન થાય; એક અમારે વિષે જ આસક્ત થાય તે જ પરમ ભાગવત સંત છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (1) બાબત છે.
પ્ર.૧ આમાં મનને જીવથી જુદું ન કહ્યું, અને (લો. 14/1માં) મનનો વિશ્વાસ ન કરવો એમ કહ્યું છે તથા (છે. 6/2માં) મનને જીવનું મિત્ર કહ્યું છે એમ જોતાં તો મન જીવથી જુદું થયું તે કેવી રીતે સમજવું?
ઉ.૧ મન આદિક ઇંદ્રિયોદ્વારે જીવની વૃત્તિ આવીને વિષયને ભોગવે છે એમ (જે. 2ના બીજા પ્રશ્નમાં) કહ્યું છે અને (લો. 15ના પહેલા પ્રશ્નમાં) પણ દેવતા ને ઇંદ્રિયો રૂપે કરીને જીવ વિષયને ભોગવે છે એમ કહ્યું છે ને (મ. 63/1માં) ઇંદ્રિયો-અંતઃકરણની વૃત્તિઓને જીવની વૃત્તિ કહી છે, અને મનને વિષે કર્તાપણું જીવનું છે તેથી જીવની વૃત્તિની ને મનની એકતાએ કરીને આ ઠેકાણે મનને કિરણ કહેલ છે.
Suggest a correction
Help improve this text. Our editors review every suggestion.