૨૦. તપ, નિવૃત્તિધર્મ ને વૈરાગ્યની સિદ્ધદશા પ્રાપ્ત થવામાં ઉપયોગિતા - સમાધિવાળાને જ્ઞાન વૃદ્ધિ પામે તેની સમજ.
0:000:00
સંવત 1878ના પોષ વદિ 14 ચૌદશને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ વિરાજમાન હતા, અને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળો ચોફાળ ઓઢીને તે ઉપર છીંટની રજાઈ ઓઢી હતી, ને મસ્તક ઉપર શ્વેત પાઘ બાંધી હતી, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, અને પરમહંસ તાળ-મૃદંગ વજાડીને કીર્તન બોલતા હતા.
પછી શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે, આજ તો અમારા ઉતારામાં અમારી પાસે રહેનારા જે સોમલાખાચર આદિક હરિભક્ત તેમને અમે એક પ્રશ્ન પૂછ્યો છે તેનો સર્વે પરમહંસ મળીને ઉત્તર કરો. પછી પરમહંસે કહ્યું જે, હે મહારાજ! એ પ્રશ્ન અમને સંભળાવો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,
ઇતિ વચનામૃતમ્ || 20 || (153)
રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં સાક્ષી જે બ્રહ્મ કહેતાં અમે લોઢાને વિષે અગ્નિની પેઠે, બ્રહ્માંડને વિષે પ્રવેશ કરીને સર્વેને સર્વ ક્રિયા કરવાની સામર્થી આપીએ છીએ. (1) અને સમાધિએ કરીને અમારી સાથે તુલ્યભાવને પામે ત્યારે તે જીવ બ્રહ્મરૂપ કહેવાય છે ને તેને જ્ઞાનની વૃદ્ધિ થાય છે અને તપ, નિવૃત્તિધર્મ ને વૈરાગ્ય તેણે યુક્ત હોય તેને શુકદેવજીના જેવી સિદ્ધદશા આવે છે ને સર્વત્ર ગતિ થાય છે અને દેહાભિમાની જીવ હોય તે એમ જાણે છે જે, સમાધિવાનને જ્ઞાન ઓછું થઈ જાય છે પણ સમાધિવાન ઇંદ્રિયો-અંતઃકરણથી જુદો પડીને વર્તે છે તો પણ જ્ઞાન વૃદ્ધિ પામે છે અને પાછો તેમાં મળીને વર્તે તો પણ સમાધિમાં થયેલું જ્ઞાન નાશ થતું નથી અને એ સમાધિવાન પ્રવૃત્તિ માર્ગનો ત્યાગ કરીને તપાદિકે યુક્ત થાય તો અમારા મુક્તના જેવી સિદ્ધદશા પામે, જેમ પૂર્વે નારદ-સનકાદિક-શુકજી પામ્યા છે તેમ. (2) બાબતો છે.
Suggest a correction
Help improve this text. Our editors review every suggestion.