વચનામૃત

૪૨. વિધિનિષેધ સત્ય છે - વિધિનિષેધ ખોટા કહેનારની ગતિ.

0:000:00

સંવત 1876ના મહા સુદિ 6 છઠને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર આગળ લીંબડાના વૃક્ષની હેઠે ઓટા માથે ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે વિરાજમાન હતા, ને માથે ધોળી પાઘ બાંધી હતી, ને ધોળી ચાદર ઓઢી હતી, ને ધોળો ખેસ પહેર્યો હતો, ને બે કાનને ઉપર પીળા પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

અને તે સભાને વિષે કોઈક વેદાંતી બ્રાહ્મણ આવીને બેઠો હતો. તેને જોઈને શ્રીજીમહારાજ બોલ્યા જે,


ઇતિ વચનામૃતમ્ || 42 ||


રહસ્યાર્થ પ્રદી. -- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં બ્રહ્મસ્વરૂપને વિષે નિર્વિકલ્પ સ્થિતિ થયા વિના જીવ, માયા, ઈશ્વરાદિકને મિથ્યા કહે તથા વિધિનિષેધને ખોટા કહે તેને અધમ ને નાસ્તિક કહ્યા છે. (1) અને કુસંગને યોગે ભૂંડું થાય છે. (2) અને જેમ શ્રીકૃષ્ણને પ્રસંગે ગોપીઓ અભયપદ પામી તેમ અમારા પ્રસંગ થકી અભયપદને પામે છે અને નાસ્તિકને નરકની પ્રાપ્તિ થાય છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (3) બાબતો છે.