૨૬. સહજાનંદ મહારાજ કી મૂર્તિ

રાગ ભૈરવી


પદ ૧

સહજાનંદ મહારાજ કી મૂર્તિ, લ્યો અંતરમેં ધારી. સ.

મહા મુક્ત મંડળ સંગ લાઈ, તીરથ પાવનકારી. સ.૧

સંગ અસવારી લીહે અતિ ભારી, નીરખી હરખી નરનારી. સ.૨

શિર પર પાઘ પુષ્પ કે તોરા, પહિરે અંગરખી ભારી. સ.૩

અવધપ્રસાદ શ્યામકું નીરખી, કામ ક્રોધ દુઃખ ટારી. સ.૪


પદ ૨

શ્રી ઘનશ્યામ કી સુંદર મૂરતિ, અંતરમાંહી ઉતારો. શ્રી

કામ ક્રોધ મદ મોહ મહા રિપુ, ઇનકે ઠારનહારો. શ્રી.૧

નરનારાયણ મંદિર આગે, કીન સભા તીન ધારો. શ્રી.૨

પહિરે હાર ગુલાબ કે સુંદર, શિર પર પાઘ હે પ્યારો. શ્રી.૩

અવધપ્રસાદ કે’ રમે હરિ રંગે, ખેલ કરે જગ ન્યારો. શ્રી.૪


પદ ૩

હરિકૃષ્ન મહારાજ કી મૂર્તિ, મંદિર માંહી બિરાજે. હ.

શિર પર ટોપી કાનમેં મોતી, ઉર બનમાલ સુરાજે. હ.૧

શ્રી વચ્છ ચિહ્‌ન ધારે હરિ સુંદર, ભાલ તિલક શુભ સાજે. હ.૨

ત્રિવલી નાભિ શ્યામકી સોહે, નીરખી નીરખી દુઃખ ભાજે. હ.૩

અક્ષરધામ સેં આયે નવની પર, અવધપ્રસાદ કે કાજે. હ.૪


પદ ૪

નીલકંઠ મહારાજકું પાઈ, જનમ મરન દુઃખ જાઈ. ની.

શ્રી ઘનશ્યામ પ્રગટ પુરુષોત્તમ, અક્ષરવાસ કરાઈ. ની.૧

ચંચલ મૂરતિ શ્યામ ચતુરકી, અંતરમેં ઠહરાઈ. ની.૨

ત્યાગ વૈરાગ્ય ભક્તિ કી શોભા, પ્રગટ બિના ન સોહાઈ. ની.૩

અવધપ્રસાદ સંત સંગ રહહી, હરિકૃષ્ન મન ભાઈ. ની.૪



શબ્દાર્થ સૂચી

પદ ૨

મહારિપુ - મોટો શત્રુ

ઠારનહારો - નાશ કરનાર


પદ ૩

સુરાજે - શોભે છે

અવની પર - પૃથ્વી પર


પદ ૪

મન ભાઈ - મનમાં ભાવી