આપણું બેસતું વર્ષ : ૭

શ્રી ઘનશ્યામ પૂરણ કામ, અક્ષરધામ જે હરિ રાજતા;

નરદેહરૂપ નવીનધારી, પુર છપૈયે બિરાજતા.

પિતા ધર્મ ને માત ભક્તિ, ભ્રાત રામપ્રતાપ છે;

ભાઈ નાના શ્યામ હરિના, નામ ઇચ્છારામ છે.

એ ધર્મકુળ પરિવારમાં, ભૂતળ ધર્મને સ્થાપવા;

પ્રગટ્યા પ્રભુ સર્વોપરી, સુખ દિવ્ય અલૌકિક આપવા.

ભુવન વર્ષ અગિયાર રહીને, બાળ લીલા બહુ કરી;

વન વિકટ સાત વર્ષ ફર્યા, નીલકંઠ મૂર્તિ માધુરી.

જીવ અનંતને ઉદ્ધારવા, હરિ મોક્ષ કરવા કારણે;

ધર્યું નામ સહજાનંદ સ્વામી, પામર પતિત જન તારણે.

શ્રી સ્વામિનારાયણ સ્વયં, પ્રભુ સર્વ કારણ શ્રીહરિ;

એ જ્ઞાન સૌને આપવા, રીત નવીન અદભુત આદરી.

સંપ્રદાય ઉજ્જવળ સ્થાપિયો, સંત અનંત સંગે બતાવિયા;

પ્રથમ વ્રત કરડાં ચલાવી, એ મુક્તને પણ તાવિયા.

દિવ્ય સુખ અલૌકિક આપવા, પછી સર્વ પર કરુણા કરી;

દેશવિદેશમાં વિચરણ કર્યું, ન્યાલકરણ પ્રભુ એ શ્રીહરિ.

એ મૂર્તિ આનંદ કંદની, અખંડ દિવ્ય ધામે રહે;

પુર છપૈયે પ્રગટ થયા તે, મૂર્તિ રૂપે સૌ કહે.

એ સ્વરૂપ ત્રણે એક છે, ફેર રોમનો જેમાં નહિ;

શ્રીમુખ વચનામૃત વિષે, એ વાત સૌ જનને કહી.

: જય શ્રી સ્વામિનારાયણ :