પત્ર : ૧૪૬

માયા ઝેરનું ઝાડવું છે. તેનાં ફળ - ફૂલ - ડાળ - પાંખડા - રસ એ બધું ઝેર; અને ભગવાન ને મુક્ત અમૃતરૂપ, તેમનો જેટલો જોગ-સંબંધ તે બધું અમૃતમયઃ

‘‘અમૃતના સિંધુ ઊલટ્યા રે, રંગડાની વાળી છે રેલ,

પુરુષોત્તમ પ્રગટી રે.’’

‘‘કોઈ કહે હરિ હો ગયો, કોઈ કહે હોવનહાર;

મુક્ત કહે પ્રભુ પ્રગટ બિન, સબ ભટકત સંસાર.’’

આમ જેને સમજણ કે જ્ઞાન નથી તેનાથી કોઈને સમાસ ન થાય. આપણા ભાગ્ય તો બાપાશ્રી તથા સદગુરુ મળ્યા ત્યારથી ઉઘડ્યાં છે. એટલે કારણમૂર્તિ શ્રીજીમહારાજની દિવ્ય મૂર્તિનો દિવ્યભાવ સમજાણો.