ગઢડા છેલ્લું : ૧૫

ભૂંડા દેશકાળાદિકને યોગે કરીને પંચવિષયના ઘા લાગ્યા હોય તે નવધા ભક્તિ માંહેલી જે ભક્તિએ કરીને પંચવિષયનું સ્મરણ ન થાય તે અંગમાં રહીને અમારી માનસી પૂજા, નામ સ્મરણ કરવું તો અતિશય સમાસ થાય. જે પોતાના અંગને ઓળખે નહિ તેને સુખ ન થાય. (૨૪૯)