પત્ર : ૧૬૩

શ્રીજીમહારાજ કહે છે કે અનંત મુક્ત થઈ ગયા ને થશે પણ મારો પાર પામવા કોઈ સમર્થ નથી ને થશે પણ નહિ.

જ્યારે સત્સંગ થયો હોય ત્યારે સૌના રાજીપાની કેવી ગરજ હોય છે ? તેવી ને તેવી ધામમાં જઈએ ત્યાં સુધી ગરજ રાખવી તે ખરું દાસપણું કહેવાય.