વડતાલ : ૧૬

અમારા ભજનના સુખ આગળ ચૌદ લોકનાં તથા બ્રહ્માંડોનાં સુખ તે નરક તુલ્ય ને દુઃખરૂપ છે. અમારા ભજનનો ને અમારા ભક્તનો સત્સંગ રખાવ્યાનો આગ્રહ રાખવો પણ અમારું ભજન ભૂલીને કોઈ પ્રકારનો આગ્રહ રાખવો નહિ એ અમારો રહસ્ય અભિપ્રાય છે. (૨૧૬)