વાત : ૨૦૯

નૃસિંહાનંદ સ્વામીએ પૂછ્યું જે પંચ વિષયને કેમ ભોગવવા ? ઉત્તર : જે જેમ કોઈ વૈરી મનુષ્ય હોય ને તે પોતાને ઘેર મહેમાન (પરોણો) થયો હોય તો તેને સાકરનાં સીધાં આપવાં પડે છે પણ અભાવસોતાં આપે છે એમ વિષય ભોગવવાને વિષે દેહને પ્રવર્તાવવો.।।૨૦૯।।