વાત : ૪૪૯
વૈરાજપુરુષ તથા પ્રધાનપુરુષાદિક એ સર્વે શ્રીજીમહારાજના મહિમાને સમજે છે તો પણ માયા સાથે કેેમ જોડાય છે ? ઉત્તર : જે એ ઐશ્વર્યાર્થી ભક્ત છે તે સારુ જોડાય છે ને જ્ઞાની ભક્ત હોય તે તો જોડાય નહિ તે માટે જ્ઞાનીને જ ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને શ્રેષ્ઠ કહ્યો છે ને તે ભક્ત જેમ શ્રીજીને ભજે છે તેમ જ શ્રીજી પણ તેને ભજે છે.।।૪૪૯।।