વાત : ૩૫૦

વિષયમાંથી પ્રીતિ કેમ ટળે ? ઉત્તર જે ચાર પ્રકારના પ્રલયની વાર્તાને સારી પેઠે સમજે તથા દેહાદિકને વિષે વૈરબુદ્ધિ સદા રાખ્યા કરે તથા શ્રીજીમહારાજનો મહિમા સમજે આટલા ઉપાયે કરીને વિષયમાંથી પ્રીતિ જાય છે.।।૩૫૦।।