વાત : ૫૫૭

જે સ્થિતિવાન હોય ને તે ઠીક વર્તતા ન હોય ને જે સ્થિતિવાન ન હોય તે જેમ સંત કહે તેમ કરે છે. એ કેમ હશે ? ઉત્તર જે સ્થિતિવાન નથી તેને સાધન છે ને જે સ્થિતિવાન છે તેને સાધન નથી. તે સંતદાસજીની વાર્તા બહુ કરી.।।૫૫૭।।